NEWS
AMRUT MAHOTSAV

શાળા વિષે

શાળાની ઈમારત
અમારી શાળા શિક્ષણનું હબ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં આદ્યસ્થાપક ભાઈકાકા ના સ્ટેચ્યુ પાસે આવેલી છે. વલ્લભ વિદ્યાનગરની સ્થાપનાકાળની આ પ્રથમ શાળા છે. આ ઈમારત ૧૯૪૯ની સાલમાં રંગૂન સ્થિત ચા ના વેપારી એવા દાતાશ્રી ગોવિંદભાઈ જોરાભાઈ પટેલની સખાવત થી તૈયાર થઈ છે. જેનું ઉદ્દઘાટન વડોદરા રાજ્યના નેકનામદાર દિવાન અને મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના ભુતપૂર્વ પ્રધાન ર્ડો. શ્રી જીવરાજભાઈ નારણદાસ મહેતાના હસ્તે થયેલ છે. શાળાનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનો છે. શાળામાં પ્રાથમિક વિભાગ (ધો.૬ થી ૮) અને માધ્યમિક વિભાગ (ધોરણ:- ૯ અને ૧૦) બંનેની જુદી જુદી ઈમારતો છે. આજના સમયની માંગને અનુસાર કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને દરેક પ્રકારની સુવિધાઓ થી સજ્જ છે. Read more...

“શિક્ષકનું સાચા હ્રદયથી વાવેલું નિષ્ફળ જતું નથી, હા, ક્યારેક ઉગવામાં વાર લાગે, પરિણામ પ્રગટ ન હોય, પરંતુ અસર તો થાય જ શિક્ષક જીવનની આ જેવી તેવી સાર્થકતા નથી”
- મનસુખસલ્લા